બાલવાટિકા સાહિત્ય, પરિપત્ર અને માર્ગદર્શિકા

આજે જે નાના ભૂલકા છે તે જ આવતીકાલે દેશનું ભવિષ્ય નક્કી કરશે. અને શાળાકીય શિક્ષણમાં હવેના સમયમાં પ્લે હાઉસ, કે નર્સરીનું શિક્ષણ એ પહેલા પગથિયા સમાન છે. જો બાળપણ જ શાળાકીય શિક્ષણમાં ખીલી ઉઠશે તો મોટેભાગે ભવિષ્ય ઉજ્જવળ જ રહેવાનું છે. નવી શિક્ષણનીતિમાં પ્રિ પ્રાયમરી, પ્રાયમરી, માધ્યમિક શિક્ષણના માપદંડ પણ બદલાશે. ફેરફાર ઘણાં છે જેની અસર લાંબાગાળે પડવાની છે. અત્યારે તો નવી શિક્ષણનીતિની અમલવારી માટે જે સરકાર કટિબદ્ધ છે તેના માટે શાળા અને શિક્ષકો કેટલા તૈયાર છે. પ્રિ પ્રાયમરીમાં બાલવાટિકાનો સમાવેશ બાળકોને કેટલો ફાયદો કરાવશે. નવી શિક્ષણનીતિ બાળકોના ભવિષ્ય ઘડતરમાં કઈ રીતે ફાયદારૂપ.

  • નવી શિક્ષણનીતિની તબક્કાવાર અમલવારીની શરૂઆત
  • ગુજરાત સરકારે કર્યો ઠરાવ
  • પ્રિ-પ્રાયમરી વર્ગોને સ્કૂલ શિક્ષણમાં સમાવવા ઠરાવ.

Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ

રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતિને લઈને બાળકો માટે શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. શાળામાં શિક્ષકોની ભરતીને લઈને જોગવાઈ પણ સરકારે કરી છે, પરંતુ નવી શિક્ષણનીતિ બાલવાટિકાના અભ્યાસક્રમમાં બાળકો પહેલા ચિત્રના માધ્યમથી અભ્યાસ તેમજ આમાં સેમેસ્ટર સિસ્ટમ રાખવામાં આવી છે. ત્યારે શું છે બાલવાટિકા અભ્યાસક્રમમાં જાણો.

બાલવાટિકા સાહિત્ય, પરિપત્ર અને માર્ગદર્શિકા

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન Download

વિદ્યાપ્રવેશ મૉડ્યુલ Download

વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી Download

નિપુણ ભારત બેનર્સ Download

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ Download

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ Download

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા Download

બાલવાટિકા સાહિત્ય, પરિપત્ર અને માર્ગદર્શિકા

શિક્ષકોની બદલીના ઠરાવમાં બાલવાટિકાના શિક્ષકના મહેકમની સ્પષ્ટતા

બાલવાટિકાના શિક્ષકનું મહેકમ પાંચ વર્ષ સુધી ધો .૧ થી ૫ ની સાથે જ ગણાશે

ગુજરાતમાં વર્ષ – ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રમાં ધોરણ .૧ માં બાળકની પ્રવેરાની વય મર્યાદા ૬ વર્ષની અને નવી શિક્ષણ નીતિના ભાગરૂપે પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવા સાથે સમગ્ર શૈક્ષણિક માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંજંગોમાં ધોરણ ૧ પ્રવેશતા બાળકોની સંખ્યામાં ઘટાડો થશે અને તેના કારણે શિક્ષકો ફાજલ ન પડે તે માટે વિદ્યાર્થી સંખ્યાના આધારે શિક્ષકોના મહેકમને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે શિક્ષકોના બદલીના નવા જાહેર થયેલા નિયમોમાં મહેકમ અંગે કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું છે

See also  ગુજરાત જાહેર રજાની યાદી વર્ષ 2024 | Gujarat Public Holidays 2024 @gad.gujarat.gov.in

બાલવાટિકાથી ધો.પ સુધી શિક્ષકોનું મહેકમ આ પ્રમાણે રહેશે

વિદ્યાર્થી સંખ્યામળવા પાત્ર શિક્ષક
૬૦ વિદ્યાર્થી સુધી
૬૧ થી ૯૦ વિધાર્થી સુધી
૯૧ થી ૧૨૦ વિદ્યાર્થી સુધી
૧૨૧ થી ૨૦૦ વિદ્યાર્થી સુધી
૨૦૦ વિદ્યાર્થી બાદદરેક ૪૦ વિધાર્થી દીઠ ૧ શિક્ષક

બાલવાટિકાના શિક્ષકોનું મહેકમ આગામી ૫ વર્ષ સુધી ધોરણ ૧ થી પ ની સાથે જ ગણવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થી અને તેની સામે શિક્ષકોની બાલવાટિકા શરૂ કરવામાં આવે તે શાળાઓમા મહેકમ નક્કી કરતી વખતે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરી મહેકમ મંજૂર કરવાનુ રહેશે.

આ જોગવાઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ મહેકમ વર્ષ ૨૦૨૭-૨૮ સુધી રાખવા પાછળનું કારણ આપતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આસુધી વખતે ૫ કે તેથી વધુ વર્ષની વયે પ્રવેશ મેળશે જ્યારે ૬ વર્ષ કે તેથી વધુ પ્રવેશ મેળવશે. જેમાં કુલ વિદ્યાર્થી વય ધરાવતાં બાળકો ધોરણ ૧ માં સંખ્યામાં બાલવાટિકામાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ૭૦ ટકા જેટલી હશે જ્યારે ધોરણ ૧ માં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ૩૦ ટકા જેટલી હશે. – વિદ્યાર્થી સંખ્યા વચ્ચેનો આ તફાવત સરભર થતાં ૫ વર્ષ જેટલો સમય લાગશે.

 ૫ વર્ષ બાદ ધોરણ ૧ અને બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા એક સમાન હશે. જેથી ૫ વર્ષ બાદ બાલવાટિકાથી લઈને ધોરણ ૫ સુધી વિદ્યાર્થી સંખ્યાના આધારે શિક્ષકોનું નવું મહેકમ નક્કી કરવામાં ઘટના કારણે શિક્ષકોના મહેકમ ઉપર  કોઈ અસર નહી પડે તેવું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું. 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *