શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના | Vajpayee Bankable Yojana 2024

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના

કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના

()  હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

(૨) યોજનાની પાત્રતા:

.   ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

.   શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા

       તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

.    આવક મર્યાદા નથી.

()  બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(ર)  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

()  ધિરાણની રકમ ઉપર સહાયના દર

આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તારજનરલ કેટેગરીઅનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય૨૫%૪૦%
શહેરી૨૦%૩૦%


()  સહાયની મહત્તમ મર્યાદા:

ક્રમક્ષેત્રસહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
ઉદ્યોગ₹.૧,૨૫,૦૦૦
સેવા₹.૧,૦૦,૦૦૦
વેપારજનરલ કેટેગરીશહેરી₹.૬૦,૦૦૦
ગ્રામ્ય₹.૭૫,૦૦૦
રીઝર્વ કેટેગરીશહેરી/ ગ્રામ્ય₹.૮૦,૦૦૦
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.                              

See also  રાશન કાર્ડ સંબંધિત તમામ માહિતી, ડાઉનલોડ કરો Mera Ration App


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *