નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

Namo Laxmi Yojana : Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojana 2024-25
યોજનાનું નામનમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna 
યોજનાનો ઉદ્દેશ્યદીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
યોજનાની કુલ રકમ1250 કરોડ
ધો.9-10 ની દીકરીઓનેરૂપિયા દસ હજાર ( ₹.10,000)
ધો.11-12ની દીકરીઓને રૂપિયા પંદર હજાર ( ₹.15,000) 
કેટલી દીકરીઓને સહાય10 લાખ વિદ્યાર્થીનીઓને 
સત્તાવાર વેબસાઈટcmogujrat.gov.in

નમો લક્ષ્મી યોજનાનો હેતુ 

નવું બજેટ બહાર પડવામાં આવ્યું જેમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસ્તી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.

નમો લક્ષ્મી યોજનાનો લાભ

નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.

1ધોરણ 9 અને 10₹10,000
2ધોરણ 11 અને 12₹15,000
3ધોરણ 12 સુધીનો અભ્યાસ પુર્ણ ₹50,000
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો લક્ષ્મી યોજના શું છે?

See also  મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી। Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana form

જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *