દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.
યોજનાનું નામ | સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022) |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
ક્યા લાભાર્થીઓ મળશે? | ભારતના નાગરિકો |
કેટલી સબસીડી મળવાપાત્ર થાય | 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર |
સોલાર પેનલની સમય મર્યાદા | 20 વર્ષ સુધી |
Official website | https://solarrooftop.gov.in/ |
Solar Rooftop System માટે કુલ ખર્ચ
Solar Rooftop system Setup નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે Light Bill તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે. તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. તેમજ લોકો આ યોજનાનો ઉપયોગ કરીને તેમની પોતાનું લાઈટ બિલ બચાવી રહ્યા છે.
Solar Rooftop System હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા લાભો
સરકારે દેશના કેટલાક રાજ્યો માટે આ યોજના શરૂ કરી છે. આ રાજ્યોમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, J&K, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે, જે સોલર સિસ્ટમ સેટઅપ પર 70% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ સબસિડી ઘરગથ્થુ, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે. તેમજ વ્યાપારી ક્ષેત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ સૌર ઉર્જા પ્રણાલીનો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે ડીઝલ જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય બંને માટે સલામત છે.
સોલાર રૂફટોપ યોજનાની સબસીડી
ભારત સરકાર દ્વારા આપવામાં આવતી Solar Rooftop Yojana Subsidy નીચે મુજબ આપેલી છે:
કુલ ક્ષમતા | કુલ કિમત પર સબસીડી |
3 KV સુધી | 40% |
3 KV થી 10 KV સુધી | 20% |
10 KV થી વધુ | સબસીડી નહિ મળે |
Benefits Of Solar Rooftop Sahay Yojana (સોલાર રૂકટોપ યોજનાના લાભ)
- મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
- વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને
- આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.
- 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.
Solar Rooftop Yojana Calculator | સૂર્ય રૂફટોપ યોજના અન્વયે સૌર ઉર્જા માટેનું કેલ્ક્યુલેટર
Solar Rooftop Yojana 2022: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ સોલાર રૂફટોપ યોજના દ્વારા તમે યોજના હેઠળ ખર્ચ, ઉર્જા વગેરેની ગણતરી કરી શકો છો. જો પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે Solar Rooftop Yojana Calculator સેવા ચાલુ કરવામાં આવેલી છે.
Solar Rooftop Yojana હેલ્પલાઇન નંબર
સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333
મહત્વપૂર્ણ લિંક:
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – સોલાર રૂફટોપ (સુર્ય-ઊર્જા) યોજના
પ્રશ્ન.1: Solar Rooftop Scheme 2022 માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટી જગ્યાની જરૂર નથી પડતી. તમે તેને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકો છો. 1KW સૌર્ય ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે.
પ્રશ્ન.2: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )?
સોલાર સિસ્ટમ સર્વિસ કનેક્શનના પરિસરમાં, છત પર અથવા જમીન પર સ્થાપિત થાય છે. આથી સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ
પ્રશ્ન.3: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 હેલ્પલાઈન નંબર
ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333
પ્રશ્ન.42: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?
સબસિડીની રકમ બાદ કર્યા પછી તમારે સોલર પીવી ઇન્સ્ટોલરને ચૂકવણી કરવી પડશે.
પ્રશ્ન.5: શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?
ના